ANGA AAGAM >> ANTAGAD DASHANG SOOTRA
 

 

 

 

 

 

 

 

 

English

 

શ્રી સમવાયાંગ સુત્ર :

 

આ આઠમું અંગ સૂત્ર છે. તેમાં આઠ વર્ગ-વિભાગ છે.

 

આ આગમમાં સંયમ-તપની સાધના દ્વારા કર્મોનો, જન્મ-મરણના ચક્રનો અંત કરી સિદ્ધ બુધ્ધ અને મુક્ત થયેલા ૯૦ આત્માઓનું જીવનચરિત્ર છે.

 

પ્રથમ પાંચ વર્ગમાં ભગવાન નેમનાથના સાંનિધ્યે સાધના કરી હોય તેવા યાદવકુળના ૪૧ રાજકુમારો તથા કૃષ્ણવાસુદેવની દશ રાણીઓની ઘોર તપ-સંયમની સાધનાનું વર્ણન છે. તેમાં ગજસુકુમાલ મુનિની ક્ષમાની આરાધના સર્વ સાધકો માટે અદર્શભુત છે.

 

અંતિમ ત્રણ વર્ગમાં ભગવાન મહાવીરના સાંનિધ્યે થયેલા રાજગૃહીના રાજા શ્રેણિકની૨૩ રાણીઓ તથા અન્ય શ્રેષ્ઠીઓ, અર્જુનમાળી જેવા ઘોર હત્યારાના ઉચ્ચત્તમ ત્યાગ-વૈરાગ્ય અને તેમની ઘોર તપ-સંયમની સાધનાનું દિગ્દર્શન છે.

 

આ ૯૦ સાધકોની સાધનાના માધ્યમથી, કર્મક્ષયની પ્રક્રિયા અને સંપૂર્ણ મૌક્ષમાર્ગ પ્રગટ થાય છે.

 

આ રીતે આ આગમમાં સાધકોની સાધનાનું જીવંત દર્શન છે.