ANGA AAGAM >> GNATA DHARMA KATHA SOOTRA
 

 

 

 

 

 

 

 

 

English

 

શ્રી જ્ઞાતા ધર્મકથા સૂત્ર :

 

આ છઠ્ઠા અંગસુત્ર છે. તેના બે વિભાગ છે.

 

પ્રથમ વિભાગમાં જ્ઞાત એટલે પ્રસિધ્ધ કથાનકો છે અને બીજા વિભાગમાં દશ જીવન ચરિત્રરૂપ ઘટનાઓનો ઉદ્દેખ છે.

 

અધ્યયન . : શ્રેણીકરાજાના પુત્ર મેઘકુમારના પૂર્વના ત્રણ ભવની ઘટનાનું કથન છે. તેમાં મુખ્યત્વે પૂર્વના હાથીના ભવમાં સસલાની દયાથી પોતે પીડા સહન કરી આ અનુંક્પાના ભાવથી મનુષ્ય જન્મ, મેઘકુમારના ભવમાં સંયમ સ્વીકાર, પરંતુ સંયમભાવથી પતિત, પ્રભુ મહાવીરના ઉપદેશે જાતિસ્મરણજ્ઞાન,, સંયમમાં  સ્થિરતા સંયમ સાધના, ત્યાર પછી ક્રમશ : દેવ જન્મ, મનુષ્ય જન્મ અને મુક્તિ પ્રાપ્ત કરી.

 

અધ્યયન . : ધન્ય સાર્થવાહ અને વિજયચોરના દ્રષ્ટાંતથી સંતોને શરીર ટકાવવા માટે અનાસક્તભાવે આહાર કરવાની હિતશિક્ષા આપી છે.

 

અધ્યયન . : બે મિત્રોએ કરેલા મોરને ઈંડાના ઉછેરના દ્રષ્ટાંતથી શ્રધ્ધા જ સફળતાની માસ્ટર કી છે, તે સમજાવ્યું છે.

 

અધ્યયન . : કાચબાના દ્રષ્ટાંતથી સાધકોને ઇન્દ્રિય સંયમણી પ્રેરણા આપી છે.

 

અધ્યયન . : ગુરુ-શિષ્યના સંબંધથી સંબંધિત થાવચ્ચાપુત્ર અણગાર, શિષ્ય શુક્ર અણગાર, તેના શિષ્ય શૈલેક રાજષિના જીવન ચરિત્રનું વર્ણન છે તેમાં શૈલેક રાજષિ અને શિષ્ય પંથકના વ્યવહારથી ગુરુ-શિષ્યનો સંબંધ તથા સાધુ જીવનની પ્રમત-અપ્રમત અવસ્થા અને તેના ફળનું દિગ્દર્શન છે.

 

અધ્યયન . : તુંબડાના દ્રષ્ટાતથી ભારે કામીˇ જીવો સંસારમાં ડૂબી જાય છે અને હળુકર્મી જીવ સંસાર સાગરને તરી જાયછે, તે સમજાવ્યું છે.

 

અધ્યયન . : ધન્ય સાથવાહે તેની ચાર પુત્રવધુઓની કસોટી માટે આપેલા પાંચ-પાંચ ચોખાના દાણાના દ્રષ્ટાંતથી સાધકોને મહાવ્રતોના ભાવોમાં સંવધન કરવાની પ્રેરણા આપી છે.

 

અધ્યયન . : ઓગણીસમાં તીર્થકર મહત્રીનાથ  ભગવાનના પુર્વભવ સહિતના ત્રણ ભાવનું વિસ્તૃત વર્ણન છે.

 

અધ્યયન   . : જીનપાલ અને જિનરક્ષિત નામના બે ભાઈઓની કથા દ્વારા સંયમ સ્વીકાર કર્યા પછી કમભોગની સ્પૃહા દુ:ખની પરંપરાનું કારણ છે અને  સ્પૃહાનો ત્યાગ દુ:ખ મુક્તિનું કારણ છે, તે સમજાવ્યું છે.

 

અધ્યયન ૧૦. : ચંદ્રની હાની-વૃધ્ધિ પામતી કળાઓના આધારે સાધકોને પ્રગતિશીલ રહેવાની પ્રેરણા આપી છે.

 

અધ્યયન ૧૧. : સમુદ્ર કિનારે થતા દાવદ્રવ વૃક્ષના દ્રષ્ટાંતથી સાધકોને આરાધક બનવા માટે સહનશીલતા અને સમતાગુણ કેળવવાની હિતશિક્ષા છે.

 

અધ્યયન ૧૨. : સુબુધ્ધિ પ્રધાન દ્વારા જીતશત્રુ રાજાને સમજાવેલા ગંદા પાણીના શુદ્ધિકરણના પ્રયોગ દ્વારા પદગુલ પર્યાયની ક્ષણીકતા અને પરિવર્તનશીલતાનું દર્શન કરાવી સાધકને તેમાં રાગ કે દ્વેષ ન કરવાનું સુચન છે.

 

અધ્યયન ૧૩ : 'જ્યાં પ્રીત ત્યાં ઉત્પત્તિ' સિધ્ધાંતને નંદમણિયાર શ્રેષ્ઠીન જીવનની ઘટનાથી સમજાવ્યો છે.

 

અધ્યયન ૧૪ : તેતલીપુત્ર અને પોટીલાના પ્રસંગ દ્વારા સંસાર ભાવોની આસકિતને તોડવા માટેની પ્રેરણા છે.

 

અધ્યયન ૧૫ : નાદીંફળના દ્રષ્ટાંન્તથી કામભોગની પ્રસંગ સક્તિ અને અનાસક્તિ ફળને પ્રદર્શિત કર્યું છે..

 

અધ્યયન ૧૬ : પૂર્વના ત્રણ ભાવ સહીત દ્રૌપદીન ચરિત્રનું વિસ્તૃત વર્ણન છે.

 

અધ્યયન ૧૭ : જાતિવાન અશ્વોના વ્યવહાર દ્વારા સ્વતંત્રતા અને સમાધિ પ્રાપ્ત કરવા માટે સાધકોને સાધુધર્મના આશ્રયે રહેવાની હિતશિxaa પ્રદાન કરી છે.

 

અધ્યયન ૧૮ : સુસમાં નામની શ્રેષ્ઠી કન્યાના જીવનની ઘટના સાધકોને શરીર ટકાવવા માટે અનાસક્ત ભાવે આહાર કરવાની પ્રેરણા આપી છે.

 

અધ્યયન ૧૯ : પુંડરીક અને કુંડરીક નામના બે ભાઈઓની કથાના માધ્યમથી સંયમ જીવનની સફળતા માટે કામભૉગની સ્પ્રુંહાના ત્યાગનું પ્રતિપાદન છે.

 

વિભાગ- : દશે અધ્યયનોમાં ૨૦૬ ઇન્દ્રાણીઓના પૂર્વભવના જીવનનું વર્ણન છે.

આ રીતે વિવિધ કથાઓ દ્વારા જૈનધર્મના મહત્વના સિધ્ધાંતો સરળ રીતે ઉજાગર કાર્ય છે.